ટંકારીઆમાં “યવમે આશુરા” ની પરંપરાગત ઉજવણી કરાઈ

આજે ૧૦ મુહર્રમુલ હરામ યાને યવમે આશુરા…. આપણા મહાન પયગંબર ના દોહિત્ર હજરત ઈમામહુસેન અને તેમના જાનીસારોએ સત્ય કાજે પોતાની જાન કુરબાન કરી આપી ઇસ્લામને બુલંદી પર પહોંચાડ્યો તેની યાદમાં કસ્બા ટંકારીઆમાં આજે વહેલી સવારે જામા મસ્જિદ અને મસ્જીદે મુસ્તુફાઈય્યાહ માં વિશિષ્ટ નવાફીલો અને ઝિક્રનો પ્રોગ્રામ યોજાયો હતો. વિશાળ સંખ્યામાં અકીદતમંદોએ હાજરી આપી ફૈઝીયાબ થયા હતા. બાદમાં તમામ શરબતથી તૃપ્ત થયા હતા. આખા ગામમાં ઠેર ઠેર શરબત અને પાણીની સબીલો જોવા મળી હતી. તમામ બિરાદરો શોહદા એ કરબલાની યાદમાં મગ્ન થઇ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*