ટંકારીઆ-કંબોલી વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં એક નું મોત

આજે સવારે આશરે ૮ વાગ્યાના સુમારે ટંકારીઆ-કંબોલી વચ્ચે ઠીકરીયા સ્ટેન્ડ પાસે મારુતિ વેન નંબર જીજે ૧૬ બીજી ૧૯૨૭ અને ઓટોરિક્ષા નંબર જીજે૧૬ એટી ૪૪૮૦ વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા દયાદરા ગામના રહીશ ઇબ્રાહીમભાઇ શેરપુરાવાળાનું સ્થળ પર મોત નીપજ્યું હતું. તથા તેમની સાથે વાનમાં બેસેલા દયાદરા ગામના સરફરાઝ રુડીને ગંભીર ઇજાઓ થતા ભરૂચ ખાતે હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા છે. પ્રાપ્ત માહિત અનુસાર ઓટોરિક્ષા મેસરાડ ગામની હતી તેમાં પણ ૩ મુસાફરો બેસેલા હતા તે તમામને તથા રીક્ષા ચાલાકને પણ ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલાઇઝ કર્યા છે. જેમાંથી કેટલાક ને ગંભીર ઇજાઓને કારણે આઈ.સી.યુ. માં ભરતી કરવામાં આવ્યા છે. પાલેજ પોલીસ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*