ટંકારિયામાં ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

https://youtu.be/C43tJotB3vQ

https://youtu.be/yNZ2wKi_RyE

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ સંચાલિત મદની શિફાખાના તથા ગ્રામ પંચાયત ટંકારીઆ તેમજ એપેક્ષ મલ્ટીસ્પેશીયાલીસ્ટ અને ટ્રોમા સેન્ટર ભરૂચના ઉપક્રમે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન મદની શિફાખાના પર આજરોજ કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચના વિખ્યાત ડોક્ટરો કેતન દોશી, સુનિલ નાગરાણી, સેતુ લોટવાળા, રજત ગુસાણી, શબિસ્તા પટેલ તથા સાહીન ખાંધિયા એ પોતાની સેવાઓ આપી હતી.
આ પ્રોગ્રામની શરૂઆત તિલાવતે કુરાન થી કરવામાં આવી હતી અને ત્યાર બાદ ટ્રસ્ટ ની રૂપરેખા સામાજિક કાર્યકર અબ્દુલભાઇ કામથીએ આપી હતી. આ પ્રસંગે ગામના આગેવાનો, વડીલો, તથા નવયુવાનો હાજર રહ્યા હતા. અને વિશેષ મહેમાનોમાં એન. આર. આઈ. અય્યુબભાઇ મીયાંજી હાજર રહ્યા હતા. તદુપરાંત મુસ્તુફા ખોડા, ઝાકીર ઉમતા, સલીમ ઉમતા, મુસ્તાક બાબરીયા, અફઝલ ઘોડીવાળા, તૌસીફ કરકરિયા, ડો. મુઝમ્મિલ બોડા, અઝીઝ ભા, અખ્તર માલજી, બિલાલ લાલન તથા મોટી સંખ્યામાં ગ્રામ જનો હાજર રહ્યા હતા. આ કેમ્પમાં ગામ તથા આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અબ્દુલ્લાહ કામથી દ્વારા કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*