કોરોના વાયરસ સામે રક્ષણ માટે યુનાની ઉકાળાનું ટંકારીઆ ગામમાં મફત વિતરણ કરવામાં આવ્યું

કોરોના વાયરસે સમગ્ર વિશ્વને ભરડામાં લઇ લીધું છે અને આ મહામારી હાલમાં થોડા દિવસોમાં ગુજરાત માં પણ પગપેસારો કર્યો હોય લોકો તેની ભયાનક્તાથી ભયભીત થઇ જવા પામ્યા છે. સરકાર તરફથી પણ આ મહામારીને અટકાવવાના તમામ પ્રયાસો થઇ રહ્યા છે. અને વિવિધ સંસ્થાઓ પણ એક્ટિવ થી ગઈ છે જે અંતર્ગત ભરૂચ ના મીરા આયુર્વેદિક એન્ડ યુનાની મલ્ટી સુપર સ્પેશિયાલિસ્ટ ક્લિનિક ધરાવતા હકીમ ડોક્ટર સૈયદ અબ્દુલરશીદ દ્વારા કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા માટે એક ઉકાળાની વિનામૂલ્યે વિતરણ કરવાની વ્યવસ્થા ટંકારીઆ ગામે આજે મોટા પાદર, મુખ્ય બઝારમાં તથા નાના પાદર કરવામાં આવી હતી જેમાં ગામના અનેક લોકોએ આ ઉકાળો પીધો હતો. આ ઉકાળાના વિતરણ માં સામાજિક કાર્યકર અબ્દુલ્લાહ કામથી, ઉસ્માન લાલન તથા ગામના આગેવાનો હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*