એન. આર. આઈ. મિત્રના સહયોગથી ગામમાં જંતુનાશક પાવડરનો છંટકાવ કરાયો

ચોમાસુ લગભગ વિદાય થઇ ગયું છે અને ચોમાસામાં ઠેરઠેર વરસાદી પાણી ભરાયા હોવાથી મચ્છર તથા અન્ય જીવજંતુઓ અને બેક્ટેરિયા નો ઉપદ્રવ થાય તે સ્વાભાવિક પ્રક્રિયા છે. તો આ મચ્છર તથા અન્ય જીવજંતુઓ અને બેક્ટેરિયા ના મારણ તરીકે આપણા ગામના લેસ્ટર માં વસવાટ કરતા એન. આર. આઈ. મિત્ર અબ્દુલભાઇ છેલીયા ના સહયોગથી આખા ગામમાં ઠેર ઠેર ગલીએ ગલીએ જંતુનાશક પાવડરનો છંટકાવ આપણા ગામના સામાજિક કાર્યકર યુસુફભાઇ ઢીલ્યા હસ્તક કરવામાં આવ્યો હતો. નીચે દર્શાવેલ ફોટોમાં પાવડર છંટકાવ કરી રહેલા યુસુફભાઇ અને તેમની ટિમ દ્રશ્યમાન થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*