શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા ટંકારીઆ માં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું વિતરણ કરાયું

હાલમાં મુસ્લિમ સંપ્રદાયનો અતિ મહત્વનો રમઝાન માસ ચાલી રહ્યો છે. ત્યારે સમાજનો ગરીબ તબક્કો પણ આ પવિત્ર માસની ઉજવણી સારી રીતે કરી શકે એ આશયથી સેવાભાવી સંસ્થાઓ દ્વારા ગરીબ તબક્કાના બિરાદરોને આર્થિક તથા જીવન જરૂરિયાતની વસ્તુઓનું વિનામૂલ્યે વિતરણ કરી એક પ્રેરણાદાયી કાર્ય કરી રહેલા છે. જે અંતર્ગત શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ શાખાના કાર્યકર્તાઓએ ગામના ગરીબ તબક્કાના આશરે ૧૧૦ જરૂરતમંદોને જરૂરિયાતની ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ શાખા સમયાંતરે ગરીબ વર્ગના લોકોને મદદરૂપ બની સરાહનીય કાર્ય કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*