ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે આવતી કાલે તારીખ ૬/૫/૧૮ ના રવિવારના રોજ રાત્રે ઈશાની નમાજ બાદ ખરી ના મેદાન પર સરકારે કલા કોન્ફરસ નું આયોજન બગદાદી નવયુવાન ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં શહેનશાહે ખિતાબત હુઝૂર ગાઝીએ મિલ્લત અલ્લામા હાશ્મિમીયાં સાહબ કિછોછવી તથા તેમના ત્રણ શહેઝાદાઓ તથા હુઝૂર શૈખુલ ઇસ્લામ ના નૂરે નઝર હમઝા મિયાં તશરીફ લાવી બયાનો કરશે. તો આ કોન્ફરન્સ માં હાઝરી આપવા તમામ મુસ્લિમ બિરાદરોને બગદાદી ગ્રુપ ના નવયુવાનો આમંત્રણ પાઠવે છે.