ટંકારીઆ માં વાદળછાયું વાતાવરણ ને લઈને ખેડૂતો ચિંતાતુર

દક્ષિણ ભારત ના રાજ્યોમાં હાહાકાર મચાવનાર ‘ઓખી’ વાવાઝોડું ગુજરાત ના દરિયાકાંઠે ત્રાટકે એવી શક્યતાઓ છે. જેને પગલે દક્ષિણ ગુજરાત માં વરસાદ પડે તેવી શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરતા ખેડુતમિત્રો ના કપાળે ચિંતાની લકીરો ખેંચાઈ જવા પામી છે. જેને પગલે ત્રણ-ચાર દિવસ ઠંડીનું મોજું તીવ્ર રહે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અચાનક આવેલા આ વાવાઝોડા ને લીધે તથા વરસાદ પાડવાની સંભાવના ને લઈને આજ રોજ સવારથી જ વાતાવરણમાં પલટો દેખાયો છે અને વાતાવરણ વાદળછાયું થઇ જવા પામ્યું છે. ખેતરોમાં રવિ પાક પણ એકદમ યુવાનીની અવસ્થામાં હોય આ વરસાદ કદાચ નુકશાન પહોંચાડી શકે એવી ભીતિ ખેડૂતો વ્યક્ત કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*