Eid E Milad preparation

ટંકારીઆ કસ્બા તથા આજુબાજુ ના પંથક માં જશ્ને ઈદે મિલાદુન્નબીની ઉજવણી ની તડામાર તૈયારીઓ શરુ થઇ ગઈ છે. ઈદે મિલાદુન્નબી ના પર્વ ને અનુલક્ષીને ઠેર ઠેર રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે.

ઇસ્લામ ધર્મના સ્થાપક હઝરત મુહમ્મદ પૈગમ્બર સાહેબ ના જન્મદિનની ઉજવણીના ભાગ રૂપે મસ્જિદો તથા અકીદતમંદોએ પોતાના ઘરો ને રોશની થી શણગારવામાં આવેલ છે. આગામી બીજી ડિસેમ્બર ના રોજ ઈદે મિલાદુન્નબી પર્વ નિમિતે જુલુસ સૈયદ અહેમદ અલી  પાટણવાળા બાવા સાહબ ના ઘરેથી સવારે ૭ વાગ્યે કાઢવામાં આવશે જે જામા મસ્જિદ ખાતે સંપન્ન થઇ જશે. અને જામા મસ્જિદ માં પૈગમ્બર સાહેબના બાલ મુબારક ની જિયારત કરાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*