નવનિર્મિત આંગણવાડીનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો

આજ રોજ ટંકારીઆ ગામ માટે ખુબ જ ખુશી નો મોકો હતો. ટંકારીઆ નાના પાદર ખાતે આવેલ નવનિર્માણ આંગણવાડી નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. જેમાં ખાસ મેહમાન તરીકે પૂજા બેન. C. D. P. O. સંગીતા બેન, દિનેશ ભાઈ. આશિસ ભાઈ, જીગનીશા બેન, જિલ્લા પંચાયત સદસ્ય. ભાવના બેન. તાલુકા પંચાયત સદસ્ય. અસ્મા બેન, માજી તાલુકા સદસ્ય અબ્દુલ મામાં, ભરૂચ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મકબુલ ભાઈ અભલી, સામાજિક અગ્રણી નાસિર સાહેબ લોટીયા, સરપંચ મંગા ભાઈ, ડેપ્યુટી સરપંચ સફ્વાન ભુતા, ગામ પંચાયત ના તમામ સભ્યો. તથા વાલી મિત્રો ની હાજરી માં આ સુંદર મકાન નાના ભૂલકાઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. અત્યાર સુધી 15 વર્ષ થી ભાડા ના મકાન માં આ કેન્દ્ર ચલાવતા હતા.

આ આંગણવાડીની ફરતે બનાવેલી દીવાલ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ટંકારીઆ બ્રાન્ચના સહયોગથી બનાવવામાં આવેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*