આજ રોજ ટંકારીઆ ગામની તળાવના પાળે આરામ ફરમાવી રહેલા પીર જુમ્મનશાહ (રહ) ના ઉર્સ ની ઉજવણી પરંપરાગત રીતે કરવામાં આવી હતી. એક જમાનો હતો કે આખું ગામ જુમ્મનશાહ (રહ) ના ઉર્સ ની વાત જોતું હતું. અને નાનકડો મેળો પણ જામતો હતો, પરંતુ હવે એ ઉત્સાહ, એ ઉમંગ રહ્યો નથી. એ નગારાંનો અવાઝ, એ કબાબ સમોસાની જિયાફત હવે અતીત થઇ ગઈ છે. સમયચક્રને પલટાતા વાર લાગતી નથી.