1 2 3 6

ટંકારીઆ ગામ માં વિકાસના કામો પૈકી રખડા સ્ટ્રીટ [વૈરાગી યુસુફભાઇ વાળું ફળિયું] તથા ગોલવાડ સ્ટ્રીટ તથા ઉસ્માનભાઈ લાલનના ઘરેથી મિશન સ્કૂલને જોડતો રસ્તા પર બ્લોક પેવિંગ અને ગટર નું કામ સંપન્ન થયું છે. જે બદલ ત્યાંના રહીશોએ હાલના કાર્યકારી સરપંચ મુમતાઝબેન ઉસ્માન લાલન તથા પંચાયત નો આભાર વ્યક્ત કર્યો છે.

સત્યના કાજે પોતાની તથા પોતાના ઘરવાળાઓની પ્રાણોની કરબલાની સરજમીન પર આહુતિ આપનાર નબીએ કરીમ સલ્લલ્લાહો અલયહે વસલ્લમ ના દોહિત્ર હઝરત ઇમામ હુશેન તથા તેમના ૭૨ જાંનિસારો ની યાદમાં હિજરી માસ મહોર્રમની ૧૦ મી તારીખ એટલેકે યવમે આશુરા તરીકે મનાવવામાં આવે છે. ટંકારીઆ કસ્બા માં પણ યવમે આશુરા મનાવવામાં આવ્યો હતો તે દિવસે ટંકારીઆ કસ્બાની જામા મસ્જિદ અને મસ્જિદ એ મુસ્તુફાઈય્યાહ માં સવારમાં નફિલ નમાજોની અદાયગી કરવા માટે આશિકાને એહલે બૈત આવ્યા હતા. વિશિષ્ટ નમાજ ની અદાયગી તેમજ દુઆએ આશુરા બાદ ફાતેહા ખવાની તથા દુઆ ગુજારવામાં આવી હતી. સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી સંદર્ભે ઇમામ સાહેબોએ અલ્લાહ પાસે આ મહામારીના ખત્મ માટે તેમજ માનવજાતની ભલાઈ ઓ માટે ની દુઆ અલ્લાહ રબ્બુલ ઈજ્જતની બારગાહમાં ગુજારી હતી . ઠેર ઠેર શરબતની સબીલો જોવા મળી હતી. ટંકારીઆ કસ્બા માં મહોર્રમની પ્રથમ તારીખથી લઈને ૧૦ મી તારીખ સુધી જામા મસ્જિદ અને મસ્જિદ એ મુસ્તુફાઈય્યાહ માં મૌલાના અબ્દુર્રઝાક અશરફી તથા કારી ઇમરાન અશરફી દ્વારા રાત્રે ઈશાની નમાજ બાદ શોહદાએ કરબલાની શાન માં બયાનો કરવામાં આવ્યા હતા તથા ઇમામ સાહેબોએ જીવનના કોઈ પણ સંજોગોમાં ઇમામ હુશેન તથા તેમના જાનિશારો ની શહાદત પરથી સબક લઇ અસત્ય સામે નહિ ઝુકવાનો તથા સબ્ર કરવાનો સંદેશો પણ આપ્યો હતો. . આ બયાનો માં અકીદતમંદો હાજર રહી તૃપ્ત થયા હતા.

HAJI YAKUBBHAI UGHRADAR [BHUTA] [FATHER OF USMAN BHUTA] PASSED AWAY………. INNA LILLAHE WAINNA ILAYHE RAJEUN. NAMAJ E JANAJA WILL HELD AT HASHAMSHAH [RA] GRAVEYARD AT 3PM. MAY ALLAH [SWT] GRANT HIM THE BEST PLACE IN JANNATUL FIRDAUSH. AMEEN.

1 2 3 6