ટંકારીઆ માં ૫૬.૩૭% મતદાન થયું

લોકશાહીના મહાપર્વ તરીકે ઓળખાતી લોકસભાની ની ૨૦૧૯ ની ચૂંટણી આજરોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં યોજાઈ હતી. આ ચૂંટણી મહત્વની ચૂંટણી હોય મતદારોમાં મત આપવાનો ઉત્સાહ અતિ અનેરો હતો. આ વખતે નવા ઉમેરાયેલા મતદારો પણ અતિ ઉત્સાહમાં મતદાન કરતા નજરે પડ્યા હતા. ટંકારીઆ ગામે આ વખતે કુલ ૮ મતદાન મથકો હતા. જેમાં કુલ મતદારોની સંખ્યા ૮૦૬૬ છે જેમાંથી કુલ ૪૫૪૭ મતદારોએ મતદાન કર્યું હતું આમ કુલ ૫૬.૩૭% મતદાન થયું હતું. ટંકારીઆ ગામે ગુજરાત ટુડે ના તંત્રી અઝીઝ ટંકારવી સાહેબે પણ ટંકારીઆ ગામે આવી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. હવે મત ગણતરી ૨૩ મેં ના રોજ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*