કાળઝાળ ગરમીથી શેકાતું ટંકારીઆ અને પંથક

ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. ટંકારીઆ તથા પંથકમાં આજનું તાપમાન ૪૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે જે સામાન્ય તાપમાન કરતા વધારે છે જેના પગલે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઇ જવા પામ્યું છે. આજે રમઝાન મુબારક નો ૧૦ મોં રોઝો ઈફ્તાર થઇ ગયો છે. આટલી કાળઝાળ ગરમીમાં રોઝદાર સાંજ પડતા સુધીમાં ઢીલો થઇ જાય છે અને ઈફ્તાર કર્યા બાદ વધુ પડતી તરસ ના કારણે પાણી તથા શરબત પીને રોઝો ઈફ્તાર કરતો નજરે પડે છે અને ત્યાર બાદ એમ કહેતા નજરે પડે છે કે “રોઝા પછી ઢીલું થઇ જવાય છે” અલ્લાહ તઆલા તમામ રોઝદારને સબ્ર અતા કરે. રહેમત ના દશ રોઝા પુરા થઇ ગયા છે અને મગફેરત નો ભાગ ચાલુ થઇ ગયો છે. અલ્લાહ તઆલા તમામ ઉમ્મતે મુસલેમાની મગફેરત ફરમાવે. આમીન……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*