ટંકારીઆ તથા પંથકમાં ગરમી એ માજા મૂકી.

ટંકારીઆ તથા પંથકમાં  છેલ્લા સાત દિવસથી ગરમીનો પારો ૪૨  ડી.સે.ની આસપાસ રહેતા જિલ્લાવાસીઓ ગરમીથી હેરાન-પરેશાન થઈ ગયા છે. આ માસમાં વાદળોની અવર-જવર થતી જોવા મળે છે પરંતુ આ અવરજવર પણ ન થતા ગરમીના પ્રકોપનો સામનો પ્રજાજનો કરી રહ્યા છે. વહેલી સવારના ૭.૦૦ થી ૯.૦૦ સુધી લોકો ઠંડકનો અનુભવ કરે છે પરંતુ લગભગ ૧૦.૦૦ વાગતાની સાથે જ તાપમાનનો પારો ઉંચે ચઢતો હોય છે. બપોરના સુમારે તો ઘર બહાર નીકળવું પણ મુશ્કેલરૃપ બની જાય છે. જેને પગલે  ગ્રામ્ય વિસ્તારના માર્ગો તથા બજારો  બપોરના સુમારે તો સુમસામ ભાસે છે.  અગાઉના વર્ષોમાં આ સમયે વાદળોની અવર-જવરને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાતો હતો પરંતુ, હાલ આવા કોઈ વાદળો ન દેખાતા અસહ્ય ગરમીનો સામનો પ્રજાજનો કરી રહ્યા છે. સાંજ પડતા જ  પવનની અવર-જવરને કારણે થોડોઘણો હાશકારો  લોકો અનુભવતા હતા. પરંતુ બપોરની ગરમીથી હેરાનગતિ વધુ ભોગવવી પડે છે.   દિવસ દરમ્યાન ગરમીના કારણે લોકો બહાર નીકળવાનું ટાળતા હોય છે. સાંજે ૭.૦૦ કલાક પછી લોકો બજાર, પાદર  તથા મુખ્ય માર્ગો પર મોડી રાત સુધી ટહેલતા જોવા મળે છે. આ સમય દરમ્યાન ઠંડી ચીજવસ્તુના વેચાણમાં પણ ભારે વધારો નોંધાયો છે. હાલ પડી રહેલી ગરમીને ધ્યાને લઈ વરસાદ વહેલો આવશે તેવી આશા લોકો સેવી  રહ્યા છે. તથા હવે રમઝાન માસને આડે ગણતરીના દિવસો રહ્યા હોય લોકો અલ્લાહ તઆલા પાસે રહેમ ની દુઆઓ કરતા નજરે પડ્યા હતા.

અલ્લાહ તઆલા પાક પવિત્ર રમઝાન માસમાં તેના હબીબ સલ્લલ્લાહો અલય્હે વસલ્લમ ના સદકામાં તેની રહમત સાથે રોઝા રાખવાની નેક તૌફીક આપૅ અને તમામ રોજદારોને સબ્રે જમીલ અતા કરે  એજ દુઆ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*