આગામી તહેવારો નિમિતે ટંકારીઆ માં શાંતિ સમિતિ ની બેઠક યોજાઈ

આગામી આવતા બકરી ઈદ અને ગણેશ ચતુર્થીના તહેવાર નિમિતે પાલેજ પોલીસ સ્ટેશન ના પી. આઈ. જે. એન. ઝાલા ના પ્રમુખ સ્થાને એક શાંતિ સમિતિની બેઠક નું આયોજન ગામ પંચાયત માં કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર આગામી આવતા બકરી ઈદ અને ગણેશ ચતુર્થીના તહેવાર નિમિતે શાંતિ સમિતિની બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાલેજ પોલીસ સ્ટેશન ના પી. આઈ. જે. એન. ઝાલા તથા તેમનો સ્ટાફ આશિષ ભાટિયા, જમાદાર અર્જુન વસાવા, જમાદાર ફકીર મોહમ્મદ તથા ગામના સરપંચ ઇકબાલ કબીર, ડે. સરપંચ અલ્તાફ ગાંડા, તાલુકા પંચાયત ના સદસ્ય અબ્દુલ્લાહ ટેલર તથા વિશાલ સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. પી. આઈ. જે. એન. ઝાલા એ બંને તહેવારો શાંતિ અને સોહાર્દભર્યાં વાતાવરણમાં ઉજવવાની અપીલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*