મુસ્લિમ પર્સનલ લૉ મુસલમાનોની ધાર્મિક અાસ્થા છે : મૌલાના લુકમાન તારાપુરી

કેન્દ્ર સરકારના મુસ્લિમ પર્સનલ લૉ ના હસ્તક્ષેપના વિરોધમાં મુસ્લિમ સંપ્રદાયના લોકોમાં પ્રચંડ રોષ ભભૂકી ઉઠયો છે. દેશભરમાં મુસ્લિમ સંસ્થાઓ દ્ધારા સરકારના મુસ્લિમ પર્સનલ લૉ માં દખલગીરીના વિરોધમાં રેલીઓ , ધરણા-પ્રદર્શન યોજી વિરોધ વ્યકત કરાઇ રહ્યો છે. જેના પડઘા ભરૂચ જિલ્લાના મુસ્લિમ બહુમતિ ધરાવતા ભરૂચ સહિત પાલેજ પંથકના ગામોમાં પણ પડી રહ્યા છે.

જે અંતર્ગત ગતરોજ રાત્રે ભરૂચ તાલુકાના પારખેત ગામમાં મુસલમાનાને પારખેતના ઉપક્રમે શરિયત બચાવ અધિવેશન યોજાયું હતું. જેમાં મુખ્ય વકતા દારૂલ ઉલુમ તારાપુરના તબ્લીગ માસિકના તંત્રી મૌલાના લુકમાન તારાપુરીએ પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે મુસ્લિમ પર્સનલ લૉ માં ફેરફાર કરવાનો અધિકાર જયારે મુસલમાનોને નથી તો સરકાર કેવી રીતે બદલી શકવાની છે ? અા દેશનું જયારે બંધારણ બનાવવામાં અાવ્યું ત્યારે દરેક ધર્મને બંધારણે અધિકારો અાપેલા છે. મુસ્લિમ પર્સનલ લૉ એ મુસ્લિમોની ધાર્મિક અાસ્થાનો વિષય છે.

ઇસ્લામ ધર્મએ મહિલાઓને જે અધિકારો અાપેલા છે તેની તુલના વિશ્વમાં કયાંય થઇ શકે એમ નથી. ઇસ્લામ એક શાંતિપ્રિય ધર્મ છે. અાજે સરકાર દ્ધારા બેટી બચાવો, બેટી પઢાવોનો સંદેશ અાપવામાં અાવી રહ્યો છે એ સંદેશ ઇસ્લામ ધર્મએ સદીઓ પહેલા અાપ્યો હતો. મુસ્લિમ પર્સનલ લૉ બાબતે મુસ્લિમ મહિલાઓ ખુશ છે. એમાં કોઇપણ ફેરફાર ઇચ્છતી નથી.

ઇસ્લામ ધર્મએ અાપેલા અમનનો સંદેશો ઘેર ઘેર પહોંચાડવા પર ખાસ ભાર મુકયો હતો. અા દેશમાં દરેક જ્ઞાતિના લોકો અરસપરસ પ્રેમભાવથી રહે છે. સમગ્ર દેશવાસીઓનું દિલ ખુબ વિશાળ છે. દેશમાં શાંતિ હશે તો જ અખંડ ભારતનું નિર્માણ થઇ શકશે. ભાઇચારાનો સંદેશ દેશમાં ફેલાઇ એ જ અાજના સમયનો તકાજો છે.

દરેક ધર્મના ધર્મગુરૂઓએ દેશમાં ફરી શાંતિનો સંદેશો ફેલાવવાની જરૂર છે. શરિયત બચાવ અધિવેશનમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સંપ્રદાયના લોકો ઉમટી પડયા હતા.

પારખેત ખાતે યોજાયેલા શરિયત બચાવ અધિવેશનમાં ઉમટેલા મુસ્લિમ સમુદાયના લોકો તસવીરમાં નજરે પડી રહ્યા છે.

20161103_203615 20161103_211946-1 20161103_215606

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*