ટંકારીઆ તથા પંથક જળબમ્બાકાર

આજે સવારથી જ મેઘો ભરપૂર વરસી રહ્યો છે અને ટંકારીઆ તથા આજુબાજુના ગામો જળબમ્બાકાર થઇ ગયા છે. ભરૂચ અને પાલેજ તરફ જવાના રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર લગભગ ઠપ્પ થઇ જવા પામ્યો છે. ટંકારિયાનું પાદર મોટું સરોવર બની ગયું છે. નીચાણવાળા વિસ્તારોની દુકાનોમાં કેડ સુધીના પાણી ભરાઈ ગયા છે. બાળકો પાણીમાં છબછબિયાં કરતા નજરે પડ્યા છે. બાળકો તો બાળકો પરંતુ દરેક વયના લોકો પાદરમાં ભરાયેલા પાણીમાં મજા લેતા નજરે પડ્યા હતા. આ લખાય છે ત્યારે પણ [અસર ની નમાજ બાદ] વાદળ છવાયેલું જ રહ્યું છે અને હવામાન ખાતાના જણાવ્યા મુજબ હજુ આવતા ૨૪ કલાકમાં ભારે થી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે [અલ્લાહ ચાહશે તો]. ભૂખી ખાદી ઓવરફ્લો થતા રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ભરાવાને કારણે વાહન વ્યવહાર અને જન જીવન પર ભારે અસર વરતાઇ રહી છે. જોકે ખેડૂતોના કપાળે ખેંચાયેલી ચિંતાની લકીરો હાલ પૂરતી દૂર થતી જણાઈ છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*