ઉઘાડ નીકળતા લોકો આનંદિત

સતત ચાર દિવસથી ટંકારીઆ પાદર માં વરસાદી પાણીનો ભરાવો થયેલ હતો તે હવે સંપૂર્ણ ઓસરી જતા પાદરમાં આવેલ દુકાનોનો તથા ઓફિસો પૂર્વવત થઇ જવા પામી છે. પરંતુ વાતાવરણમાં ભેજ નું પ્રમાણ યથાવત છે અને હમણાં સૂર્ય પણ નીકળ્યો હોવાથી સૂર્યકિરણો ભેજ ને ઓછો કરવામાં મદદરૂપ થાય તેવી સંભાવના છે. હજુ પણ ભરૂચ તરફનો વાહન વ્યવહાર શરુ થયો નથી એવી માહિતી પ્રાપ્ત થઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*