ટંકારિયામાં મફત નેત્રનિદાન કેમ્પ યોજાયો

ટંકારિયામાં ગામ પંચાયતના સહયોગથી અંધજન મંડળ અને નેશનલ એસોસિયેશન ફોર ઘી બ્લાઇન્ડ, ભરૂચ આયોજિત મફત નેત્રનિદાન કેમ્પનું આયોજન મદની શિફાખાના ટંકારીઆ મુકામે કરવામાં આવ્યું હતું.
આજરોજ ટંકારીઆ ખાતે ગામ પંચાયતના સહયોગથી અંધજન મંડળ અને નેશનલ એસોસિયેશન ફોર ઘી બ્લાઇન્ડ, ભરૂચ આયોજિત મફત નેત્રનિદાન કેમ્પનું આયોજન મદની શિફાખાના ટંકારીઆ મુકામે કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં નેત્ર રોગો ધરાવતા દર્દીઓએ લાભ ઉઠાવ્યો હતો. આ પ્રસંગે પધારેલા ડો. એમ. પટેલે જણાવ્યું હતું કે મોતિયા તથા આંખની અન્ય તકલીફો વાળા દર્દીઓને પોરેયા આંખની હોસ્પિટલ બારેજા ખાતે લઇ જય તદ્દન મફત નેત્રમણિ સાથે મોતિયાનું ઓપરેશન કરી આપવામાં આવશે તથા વિના મુલ્યે દવાઓ આપવામાં આવશે. આ કેમ્પના આયોજન બદલ ટંકારીઆ ગામના સરપંચ ઝાકીરભાઈ ઉમતાએ અંધજન મંડળ અને નેશનલ એસોસિયેશન ફોર ઘી બ્લાઇન્ડ, ભરૂચ નો આભાર વ્યક્ત કર્યો હતો
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*