જુમ્માનશાહ (રહ.) નો સંદલ પ્રોગ્રામ યોજાયો

કસ્બા ટંકારીઆ ના તળાવ ની પાળે મોટા પાદરની ઉત્તર તરફ આરામ ફરમાવી રહેલા જુમ્માનશાહ (રહ.) નો ઉર્ષ દર વર્ષે રબીઉલ અવ્વલ માસના ૧૦ ચાંદે યોજવામાં આવે છે. ગતરોજ રાત્રે ઈશાની નમાજ બાદ સંદલ શરીફનો પ્રોગ્રામ જુમ્માનશાહ (રહ.) દરગાહ પર અકીદતમંદોની હાજરી વચ્ચે પાટણવાળા બાવાના સાનિધ્યમાં યોજાયો હતો. જેમાં જીક્ર અને નાત શરીફથી પ્રારંભ કરવામાં આવ્યો હતો અને ગામના લોકો મોટો સંખ્યામાં હાજર રહી ફૈઝયાબ થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*