આપણા સમાજલક્ષી સંદેશ

દર વર્ષે વિશ્વના વિવિધ દેશોમાંથી લગભગ 4 લાખ વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ વિઝા પર કેનેડા જાય છે જે પૈકી ૫૦% (લગભગ બે લાખ ) વિદ્યાર્થીઓ ભારત અને ચીનથી જાય છે. ભારતના ૯૦% વિદ્યાર્થીઓ પંજાબ અને ઉત્તર ગુજરાતના હોય છે

દર વર્ષે આશરે ૩૦૦૦ થી ૫૦૦૦ વિદ્યાર્થીઓ ફક્ત ગુજરાતથી આવે છે જે થોડા વર્ષોમાં જે પી.આર. અને કેનેડિયન નાગરિકત્વ મેળવે છે અને તેમના માતાપિતાને પણ બોલાવી લે છે અને અહીંયા કાયમી સેટલ થઇ જાય છે. બદનસીબે આપણા સમાજમાંથી ભાગ્યે જ ૧૦૦ થી ૨૦૦ વિદ્યાર્થીઓ આવે છે જે ગુજરાતના વિદ્યાર્થીઓની સરખામણીમાં ૧% પણ નથી

કેનેડા હજી પણ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનું સ્વાગત કરે છે અને કેનેડાની ઇમિગ્રેશન સિસ્ટમ અન્ય વિકસિત દેશોની તુલનામાં હાલ માં ખૂબ જ ઉદાર છે. અહીંયા નોકરી તકો પણ ખૂબ સારી છે. કેનેડાને ૨૦૨૦ માં વિશ્વ ના સર્વશ્રેષ્ઠ દેશ તરીકે ગણવામાં આવેલ છે. ભારતના વર્તમાન સંજોગો અને સરકાર ભારતીય લઘુમતીઓ સાથે નીતિઓને લક્ષમાં લઈને આપણે આપણા સમુદાયના વધુ માં વધુ વિદ્યાર્થીઓને કેનેડા આવવા પ્રોત્સાહન આપવું જોઈએ. શરૂઆતમાં પ્રથમ સેમેસ્ટરની ફી અને ટિકિટના પૈસા વ્યવસ્થા કરવી પડે છે પરંતુ અહીં આવ્યા પછી, તેઓ જોબ કરી સાથે સાથે અભ્યાસ કરી શકે છે અને બાકીના વર્ષો ની ફી અને રહેવાના ખર્ચની વ્યવસ્થા કરી શકે છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિદ્યાર્થીઓ ઉબેર ચલાવી ને પણ સારી એવી કમાણી કરી લે છે

ભારતમાં એજન્ટો કોલેજના એડમિશન અને વિઝાની વ્યવસ્થા કરવા માટે એક પૈસો લેતા નથી અને આપવાની પણ જરૂર નથી, કારણ કે કોલેજો વિદ્યાર્થીઓને માટે એજન્ટોને ખૂબ સારી રકમ ચૂકવે છે. અને કોલેજ માટે પણ આ એક બહુજ મોટો નફો કમાવવાનો વ્યવસાય છે

ભરૂચી વોરા પટેલનું એક નાનું ગ્રુપ કેનેડા ખાતે વિનામૂલયે માર્ગદર્શન આપવા પ્રયત્નશીલ છે જે વિદ્યાર્થીઓ આનો લાભ લેવા ઇચ્છતા હોઈ તેઓ પોતાનો બાયો ડેટા vps.studenthelp@gmail.com પર મોકલી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*