ટંકારિયામાં મદ્રસ્સા એ મુસ્તુફાઈય્યાહ નો વાર્ષિક જલસો યોજાયો

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે મદ્રસ્સા એ મુસ્તુફાઈય્યાહ નો વાર્ષિક જલસા નું આયોજન મોટાપાદર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં આશરે ૫૧ બાળકોએ ભાગ લઇ હાજરજનોને દીની સવાલ જવાબ, તકરીર, નાત શરીફ સંભળાવી હાજરજનોના હૈયા ડોલાવી મુક્યા હતા.
વાર્ષિક જલસાના આ પ્રોગ્રામ માં સૈયદ અહમદઅલી પાટણવાળા બાવા સાહેબ તથા જામા મસ્જિદના ખાતીબો ઇમામ ખલીફા એ શૈખુલ ઇસ્લામ મૌલાના અબ્દુલરઝાક અશરફી સાહેબ તથા મદ્રસ્સા એ મુસ્તુફાઈય્યાહ ના મુદરરીસો ખાસ રોનકે સ્ટેજ હતા. મદ્રસ્સા એ મુસ્તુફાઈય્યાહ માં દીની તાલીમ લેતા તમામ તુલ્બાઓને રવિવારે ઇનામ વિતરણ કરવામાં આવશે.
અંતે મૌલાના અબ્દુલરઝાક અશરફી સાહેબ દ્વારા સલામ પઢાવી દુઆઓ કરાવી મોડી રાત્રે પ્રોગ્રામ ની પુર્ણાહુતી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*