જશ્ન એ શબીના

વર્ષો થી પરંપરાગત રીતે દર વર્ષે રમઝાન માસ ની ૨૮ અને ૨૯ તરાવીહમાં કુરાન શરીફ પૂરું પઢવામાં આવે છે જેને શબીના તરીકે ઓળખવામાં આવે છે. જે અંતર્ગત આજથી શબીના તરાવીહ જામા મસ્જિદ ટંકારીઆ માં પઢવામાં આવી હતી. ગામ તથા પરગામ થી લોકો આ તરાવીહ પઢવા માટે મોટી સંખ્યામાં આવે છે. આજે ૧ થી ૧૫ સિપારા અને આવતી કાલે ૧૬ થી ૩૦ સિપારા પઢવામાં આવશે. આ તરાવીહ પઢવાનો લુત્ફ કઈ ઓર જ હોય છે. તરાવીહ પુરી થયેથી બહારગામથી આવતા નમાજી ભાઈઓ માટે સહેરીનો ઇંતેઝામ મસ્જિદ કમિટી તરફથી કરવામાં આવે છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*