મદ્રસાએ મુસ્તુફાઇય્યાહ ટંકારીઆ નો વાર્ષિક જલસો

મદ્રસાએ મુસ્તુફાઇય્યાહ ટંકારીઆ માં પઢાઈ કરતા તુલ્બાઓનો વાર્ષિક જલસો તારીખ ૬ મે ના શનિવારના રોજ ઈશા ની નમાજ બાદ મોટા પાદર રાખવામાં આવ્યો છે. આ મદ્રસ્સામા આશરે ૭૮૦ તુલ્બાઓ દીની તાલીમ લઇ રહ્યા છે. આ તુલ્બાઓ નો પઢાઈ માં હોસલો બુલંદ રહે તે હેતુસર દર વર્ષે આ ભૂલકાઓ ને ઇનામ આપવામાં આવે છે. અને આ વર્ષે પણ ઇનામો આપવાની યોજના બનાવી છે. અગર આપ આ તુલ્બાઓ ને આપણા તરફથી ઇનામો આપવાનું વિચારતા હોય અને એમાં આપ હિસ્સો લેવા ઇચ્છુક હો તો આપ આપણી ઇનામો ની રકમ સંસ્થાના પ્રમુખ ઇબ્રાહિમ સાહેબ MANMAN  ને અથવા સાજીદ લારીયા ને પહોંચાડી આપ પણ સવાબ ના હકદાર બની શકો છો. આટલા વિશાળ સંખ્યામાં પઢાઈ કરતા તુલ્બાઓ ની હોસલા અફઝાઈ માટે આપ પણ તેમાં ભાગીદાર બનો એવી અપીલ મદ્રસ્સા ટ્રસ્ટ તરફથી કરવામાં આવે છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*