પ્રિમોન્સુનની કામગીરી અંતર્ગત કાન્સની સાફસફાઈ કરાઈ

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે આવેલ વરસાદી પાણીનો કાન્સ કે જેમાં બિનજરૂરી વનસ્પતિ, ઝાડી-ઝાંખરા અને કચરો ભેગો થઇ ગયો હોય વરસાદી પાણીને જવામાં રુકાવટ આવતી હતી અને જેને કારણે ચોમાસા દરમ્યાન આદિવાસી વિસ્તારના ઘરો તથા મોટા પાદરમાં પાણી ભરાઈ જવાના પ્રશ્નો ઉભા થતા હોય છે. આ કાન્સ ૨૦૧૮ માં સાફ કરવામાં આવ્યો હતો ત્યાર બાદ આ કાન્સની સાફ સફાઈ થઇ ના હતી. હાલમાં ટંકારીઆ ગામના સરપંચ અને ઉપસરપંચ દ્વારા કાર્યપાલક ઈજનેર, મધ્યમ સિંચાઈ વિભાગ અંક્લેશ્વરને પત્ર પાઠવી સદર કાન્સ સાફસફાઈ કરવાની વિનંતી કરતા, આજે તંત્ર દવારા સાફસફાઈ આરંભાઈ હતી. આ સાફસફાઈ સીતપોણના નાળા થી લઈને પીર પોપટ દરગાહ સુધી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*