સતત ગોરંભાયેલા વાતાવરણને લઈને ઠેર ઠેર માંદગીના ખાટલા

સતત કાળા ડિબાંગ વાદળો અને સૂર્યની સંતાકૂકડીને લઈને વાતાવરણ એકદમ નીરસ થઇ જવા પામ્યું છે. વળી પાછો ભયંકર ઉકળાટ લોકોને વ્યાકુળ કરી દે છે. વાદળો તો છવાયેલા રહે જ છે પરંતુ વરસાદ છૂટક છૂટક પડવાને કારણે બેવડી ઋતુનો અનુભવ પણ થાય છે. જેને લીધે લોકોના સ્વાસ્થ્ય પર પણ અસર જોવા મળે છે. દવાખાનાઓ માંદગીના કારણે ઉભરાઈ રહ્યા છે. લોકોને ખાંસી, તાવ, કફ અને ગળામાં દુખાવાની ફરિયાદો થઇ રહી છે. આ વાતાવરણમાં ખાસ કરીને વૃદ્ધો અને બાળકો ના સ્વાસ્થ્ય પર અસર થઇ રહી છે.

પાણીને ઉકાળીને પીવાનો આગ્રહ રાખવો કે જેથી પાણીજન્ય રોગોથી બચી શકાય. બાળકોના તથા વયોવૃદ્ધ લોકોના સ્વાસ્થ્યની સંપૂર્ણ તકેદારી રાખવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*