આજે શુક્રવારે મગરીબ ની નમાજ બાદ શવ્વાલ નો ચાંદ નજરે આવી ગયો હોય આવતી કાલે શનિવારે ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવશે. ઈદગાહ માં ઈદની નમાજનો સમય સવારે ૭;૩૦ વાગ્યે રહેશે. અલ્લાહ પાક તમામ ઉમ્મતે મુહમ્મદીના રોઝા, ઈબાદત, ઝકાત, ફિત્ર, સદાકત, ઝીકરો અસગાર અને થયેલી તમામ નેકીઓ તેની બારગાહમાં કબુલ મકબુલ ફરમાવે. અલ્લાહ પાક દરેકને તંદુરસ્તીની અઝીમ નેમત થી માલામાલ કરે. અલ્લાહ પાક આપણને તમામને ભાઈચારા, એખલાશ હુશને અખ્લાક જેવી નેમત અતા ફરમાવે.

After the Maghrib prayer today, the moon of Shawwal has been sighted, tomorrow Saturday, Eid ul Fitr will be celebrated. Eid prayer time in Idgah will be at 7:30 am. May Allah accept the fasting, worship, zakat, fitr, sadaqat, zikr asghar and all the good deeds of the  Ummah in His Bargah. May Allah bless everyone with good health. May Allah Pak bless us all with brotherhood, ekhlash and Hushn e Akhlaq. 

 

આજે ૨૭ રમઝાન યાને શબ એ કર્દ્ર. આજે તમામ મસ્જિદોમાં તરાવીહમાં કુરાન શરીફ ખત્મ થઇ ગયું. આજે મોટી સંખ્યામાં મસ્જિદોમાં નમાઝીઓની હાજરી દેખાઈ. તરાવીહ બાદ દરેક મસ્જિદોમાં ખુતબ એ અલવિદા પઢવામાં આવી હતી. હાજરજનોએ ગમ સાથે અલવિદા પઢ્યા બાદ તમામ ઉમ્મતે મુહમ્મદી માટે ભલાઈની તથા તમામ મર્હૂમીનો માટે મગફિરતની દુઆઓ થઇ હતી. સમગ્ર વિશ્વમાં અમન, ચૈન, શાંતિ તેમજ સલામતી અને ભાઈચારો અકબંધ રહે તે માટે વિશેષ દુઆ કરાઈ. આજની રાત્રી મુસ્લિમો માટે અનેરું મહત્વ ધરાવે છે. આ રાત્રીએ મુસ્લિમ બિરાદરો આખી રાત જાગી નફલ, નમાજો સાથે અલ્લાહનો ઝિક્ર કરી ખાલિકને રાજી કરવાના પ્રયત્નમાં વ્યસ્ત રહેતા હોય છે. નમાજોની અદાયગી સાથે સાથે દુઆઓમાં પણ મશગુલ રહેતા હોય છે.