ભારતની કૃષિ ક્ષેત્રે અગ્રગણ્ય પેસ્ટીસાઇડ કંપની બાયોસ્ટેટ ઇન્ડિયા લિમિટેડ મુંબઈ દ્વારા ટંકારીઆ ના ઘોડીવાલા સીડ્સ એન્ડ પેસ્ટીસાઇડ ના માધ્યમથી કંપની તરફથી આવેલા અધિકારીઓ પરેશ પટેલ અને મોહસીન વહોરા હસ્તક ટંકારીઆ હાઈસ્કૂલ ટંકારીઆ ના આર્થિક રીતે જરૂરતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓને રૂપિયા ૨૫૦૦ ના ૮ ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. સદર કાર્યક્રમ કંપનીના અધિકારીઓ તથા ઘોડીવાલા સીડ્સ એન્ડ પેસ્ટીસાઇડ ના મલિક ઇલ્યાસ ઘોડીવાલા તથા હાઈસ્કૂલનાં શિક્ષકો ની ઉપસ્થિતિમાં ટંકારીઆ હાઈસ્કૂલમાં યોજવામાં આવ્યો હતો.

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે આજરોજ સૈયદ હસન અશકરીમીયા અશરફીયુલ જિલ્લાની સાહેબની પધરામણી થઇ હતી. એમને આજે જામા મસ્જિદમાં જુમ્મા ની નમાજ પઢાવી હતી જેમાં ગામ તથા પરગામના અકીદતમંદો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા. તથા મોહદ્દીસ એ આઝમ મિશન સ્કૂલ ના મદની હોલમાં શાળાના વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું તથા ટંકારીઆ ગામની તમામ મસ્જિદોના ઇમામો તથા મુઅજ્જિનોને પણ ઇનામ થી નવાજવામાં આવ્યા હતા. તેમને તેમના ટૂંકા સંબોધનમાં શાળાના વિદ્યાર્થીઓને ખંત થી અભ્યાસ કરવા સાથે સાથે નમાજોનાં પાબંદ બનવાની શીખ આપી હતી અને તેમને વિદ્યાર્થીઓને પોતાના માં બાપ નો એહતેરામ કરવા પર ભાર મૂકી શિખામણો આપી હતી. ત્યાર બાદ હઝરતે ટંકારીઆ ગામ અને ગામવાસીઓ માટે દુઆઓ કરી હતી. આ પ્રસંગે તેમની સાથે શોકતઅલી બાપુ કરજણવાળા તથા હજ઼રતના મુરીદો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Ibrahimbhai Adam Zina passed away……… inna lillahe wainna ilayhe rajuen. Namaj e janaja will held at Hashamshah [RA] graveyard at 10am on Sunday. May ALLAH [SWT] grant him the best place in jannatul firdaush Ameen.