ટંકારીઆમાં બકરી ઈદ નિમિતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે આગામી બકરીઈદ ના તહેવાર નિમિતે શાંતિ સમિતિની બેઠક પંચાયત ભવનમાં પાલેજના પી.એસ.આઈ. બી. પી. રજ્યા સાહેબની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી. આ બેઠકમાં હાલમાં ચાલી રહેલા કોરોના વાઇરસની મહામારી વચ્ચે આગામી ઈદનો પર્વ ની ઉજવણી સરકારી માર્ગદર્શિકા મુજબ કરવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો. સરકારની માર્ગદર્શિકા મુજબ મોઢા પર માસ્ક, તેમજ સોસીઅલ ડિસ્ટન્સ તેમજ અન્ય નિયમો ના પાલન સાથે ઈદનો તહેવાર ઉજવવાનો પણ અનુરોધ કર્યો હતો. તેમને ઈદ નું પર્વ કોમી એખલાસ, સોહાર્દભર્યાં વાતાવરણમાં ઉજવણી કરવા તથા કોઈ પણ અફવા પર ધ્યાન ના આપી પોલીસ તંત્ર ને સહકાર આપવાની અપીલ કરી હતી. તથા દરેકે કાયદાની મર્યાદામાં રહી તહેવાર ઉજવવાની પણ હાકલ કરી હતી.
આ બેઠકમાં કાર્યકારી સરપંચ મુમતાઝબેન ઉસ્માન લાલન તથા ગામ પંચાયતના તલાટી નરેન્દ્રભાઈ વસાવા તથા ગામના આગેવાનો અને ગામલોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*