હાશમશાહ (રહ.) નો સંદલ શરીફ ધામધૂમ થી મનાવવામાં આવ્યો

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગમે આરામ ફરમાવી રહેલા હઝરત હાશમશાહ (રહ.) નો સંદલ શરીફ નો પ્રોગ્રામ ગતરોજ ઈશાની નમાજ બાદ રાખવામાં આવ્યો હતો. ટંકારીઆ માં આરામ ફરમાવતા ઔલિયા હઝરત હાશમશાહ (રહ.) નો સંદલ દર વર્ષે મુસલમાની રજ્જબ માસ ની 27 તારીખે મનાવવામાં આવે છે. જે અંતર્ગત ગત રોજ ઇશાઇ નમાજ બાદ ઝિક્ર, સલાતો સલામ બાદ સંદલ ની રસમ પાટણવાળા બાવા સાહેબ ના હસ્તે પેશ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં અકીદતમંદો તથા જમા મસ્જિદ ના પેશ ઇમામ અબ્દુલરઝાક અશરફી સંદલ શરીફ માં હાજર રહ્યા હતા. સલામ અને દુઆ પેશ કરી નિયાઝ તકસીમ કરવામાં આવી હતી. તદુપરાંત ગત રોજ શબ એ મેરાજ હોય મોડી રાત્રે મસ્જિદો માં મોટી સંખ્યા માં લોકો નફિલ નમાજો પઢતા તથા ઝીક્રો અસગાર કરતા નજરે પડ્યા હતા. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*