મેઘ વર્ષા ઝંખતા ટંકારીઆ તથા પંથકમાં ગરમી એ અકરામનો વધારી.

કહેવાય છે કે અષાઢ માસ માં અનાધાર વરસાદ વરસે પરંતુ અષાઢ માસનો વરસાદ વિહોણો એક એક દિવસ વસમો સાબિત થઇ રહ્યો છે. પાછલા બે દિવસ થી પવન ની ગતિ પણ મંદ પડવાને કારણે ગરમી એ પોતાનો પ્રભાવ દેખાડવાનું શરુ કરી દીધું છે. જોકે વાદળો તો ગોરંભાયજ છે પણ વરસાદ થતો નથી. મહત્તમ પારો પણ ઊંચકાઈ ગયો હોઈ બપોરના સમયે ગરમીની દાહક્તાનો અનુભવ થઇ રહ્યો છે. જોકે હવામાન ખાતાના નિષ્ણાંતો ના મતઅનુસાર વાતાવરણમાં ગરમી નું પ્રમાણ વધશે તો જ વાદળો બંધાશે અને તેના માધ્યમ થી વરસાદ વરસવાની પ્રક્રિયા વેગવંત બનશે. આમ ગરમીના વધેલા પ્રમાણ ને લીધે હાલ તો ચોક્કસથી જ વરસાદ ની ધમાકેદાર પધરામણી થશે તેવો આશાવાદ ખેડૂતો માં જાગૃત થવા લાગ્યો છે.
તમામ દર્શક મિત્રોને વિનંતી કે રહેમત વાળી બારીશ માટે દુઆએ કરશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*